કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજીનામાની વાત નકારી

201

ગાંધીનગર : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યું હોવાનું માધ્યમોમાં ચર્ચાઈ રહ્યું હતું. ભરતસિંહ સોલંકીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું રાહુલ ગાંધીને મળીને આપ્યું છે. રાજ્યસભામાં ન મોકલતા ભરતસિંહ સોલંકી નારાજ છે અને તે કારણોસર રાજીનામું આપ્યું હોવાની વાત બહાર આવી હતી જોકે આ બાબતે ખુદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ખુલ્લાસો કરતા જણાવ્યું કે મારી રાજીનામાની મીડિયામાં ચાલી રહેલ વાતો માત્ર અફવા છે. અને તેમણે રાજીનામું આપ્યું નથી.

Get real time updates directly on you device, subscribe now.