ગુજરાત સરકાર સમક્ષ લઘુમતિ આયોગ સ્થાપવા સહિતની 10 માંગો સાથે MCC દ્વારા આંતરરાષ્ટ્રીય લઘુમતિ દિવસ ઉજવાયો

186

પાટણ : ૧૮ ડીસેમ્બર સમગ્ર વિશ્વમાં લઘુમતિ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માઈનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત દર વર્ષે આ દિવસની ઉજવણી કરે છે. ગુજરાતમાં લઘુમતીઓના વિકાસ અને રક્ષણ માટે સરકાર બંધારણીય માંગોને સાંભળે અને તેને પૂરી કરાવવા માટે પૂરતા પ્રયત્નો કરે તે માટે MCC દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય લઘુમતી દિવસની ઉજવણી કરે છે. આ વર્ષે પણ પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે સંમેલનનુ આયોજન કરાયું હતું.

MCC ના કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું કે 2009-10માં ભારતના મુસ્લિમ પુરુષ (ગ્રામીણ)ની બેરોજગારીની દર 1.9 % હતી જે 2017-18 માં વધી ને 6.7% થી ગયી અને મુસ્લિમ પુરુષ (શહરી)ની બેરોજગારી દર 2009-10 માં 2.5% હતો જે 2017-18 માં વધી ને 7.5% થઈ ગયો. ગુજરાતમાં મુસ્લિમ સમુદાયની છોકરીઓ ૧-૫ ધોરણમાં ૧૦.૫૮% ડ્રોપ આઉટ થઇ રહી છે છતાં પણ સરકાર તેની ઉપર કોઈ નક્કર કામગીરી નથી કરી રહી. રાજયમાં લઘુમતી કલ્યાણ મંત્રાલય નથી જેથી 11.5% લઘુમતી સમુદાયનું વિકાસ અટવાયો છે. રાજયમાં લઘુમતી આયોગ નથી જેથી રાજ્યનાં લોકોની ભેદભાવની રજૂઆત અટવાયે છે. લઘુમતી વિસ્તારોમાં ૧૨ ધોરણ સુધીની શાળા ખોલવી જોઈએ જેથી ડ્રોપ આઉટ સંખ્યા ઓછી થઈ શકે અને આ લઘુમતિ સમાજ પણ રાજ્ય અને દેશનાં વિકાસમાં સક્રીય યોગદાન આપી શકે. આ વર્ષથી ગુજરાતનાં ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ જારી કરવામાં આવશે જે ધારાસભ્ય લઘુમતી સમાજનાં પ્રશ્ન વધુ સંખ્યામાં વિધાનસભામાં ઉઠાવશે તેના નામ સાર્વજનિક મંચથી લેવામાં આવશે.

ગુજરાતમાં લઘુમતી સમુદાય ડરમાં જીવી રહ્યું છે, હવે તો ભેંસ લઇ જતા પણ તથા કથિત ગોરક્ષકો જાન લેવા હુમલાઓ કરી અને ઉઘરાણી કરે છે. આ સરકાર બેટી બચાવો – બેટી પઢાઓ નો જુઠ્ઠો નારો લગાવે છે. આ ભેદભાવનું સ્પષ્ટ ઉદાહરણ છે. ગુજરાતમાં લઘુમતી સમુદાયને એ અધિકારો પણ નથી મળી રહ્યા જે બીજા રાજ્યોને પ્રાપ્ત છે.

મુજાહિદ નફીસ દ્વારા માઈનોરીટી કો- ઓર્ડીનેશન કમિટી (MCC) દ્વારા 10 માંગો જણાવવામાં આવી

1- રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલય (વિભાગ) ની સ્થાપના કરવા માં આવે.

2- રાજ્યના બજેટમાં લઘુમતી સમુદાયના વિકાસ માટે નક્કર રકમની ફાળવણી કરવામાં આવે.

3- રાજ્યમાં લઘુમતી આયોગ રચના કરવામાં આવે અને તેને બંધારણીય મજબૂતી માટેનું વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવે.

4- રાજ્યના લઘુમતી બહુસંખ્યા ધરાવતા વિસ્તારોમાં ધોરણ ૧૨ સુધીની સરકારી શાળાઓ ખોલવામાં આવે.

5- મદ્રસાના શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે.

6- લઘુમતી સમુદાયના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવે.

7- સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત લોકોના પુન:ર્વસન માટે સરકાર નીતિ બનાવે.

8- પ્રધાનમંત્રીના નવા ૧૫ મુદ્દાના કાર્યક્રમનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે.

9- લઘુમતી સમુદાય માટે The Minorities (Prevention of Atrocities) Act બનાવવામાં આવે.

10- મોબ લીંચિંગ જેવી ઘટનાઓ વિરુધ્ધ કડક કાયદો બનાવવામાં આવે.

ઉસ્માન ગની શેરસિયા જણાવ્યુ કે આજ સૌથી વધુ જરૂર શિક્ષણ અને રક્ષણની છે. જે રીતે જાણી જોઈને મુસ્લિમો પર હમલા થઈ રહ્યા છે તે વિષે ચિંતા કરવી ખુબ જ જરૂર છે. આપના મુદ્દાઓ માટે આપણે રોડ પર આવવું પડશે અને તો જ આ બેરી સરકારને આપની અવાજ સંભળાશે. આ સમ્મેલનનું સંચાલન છુવારા આબિદ હુસૈનએ કર્યું અને તેઓ એ લઘુમતી સમુદાયની હાલની પરિસ્થિતી વિષે જણાવ્યું, અશરફ અલી સૈયદ, પૂર્વ વાઇસ પ્રેસિડેંટ નગરપાલિકા સિધ્ધપુર તેમના પ્રવચનમાં જણાવ્યુ હતું કે આજે આપણે આપના સમાજ માટે આગળ આવવું પડશે. સાજીદભાઈ મકરાણીએ બધા સમાજમાં આગેવાનો છે જ્યારે મુસ્લિમ સમાજમાં આગેવાન કોઈ નથી કે જે રાજય લેવલે મુસ્લિમ પ્રશ્નો બાબતે રજૂઆત કરે,

સૈયદ મોહમદઅલી બાવાસાહેબ ડીસાવાળા મુસ્લિમ ધર્મગુરુએ જણાવ્યુ હતું કે હજરત અલીની વાત કરીને પોતાની વાત કરતાં જણાવ્યુ હતું કે કોઈ એક કદમ આગળ વધે તો આપની ફરજ બને કે આપણે 10 કદમ આગળ વધીએ અને મુસ્લિમ ગાદીઓ પર રહેલ ધર્મગુરુઓને પૈગામ આપ્યો હતો કે આ ગાદી નશીન લોકોએ સમાજ માટે સૌથી પહેલા આગળ આવવું પડશે અને હું આજે જ્વાબદારી લઉં છું કે ડીસામાં આ માઈનોરિટી કામ હમેશા આગળ રહીશ અને હવે પછીના આવા કોઈપણ કામમાં હું મારી જ્વાબદારી સમજીને આગળ રહીશ.

તેમજ સાબરકાંઠાથી આવેલ હૂરાબેન દાણીએ જણાવ્યું કે મુસ્લિમ મહિલાઓની સમસ્યા શું છે, તેમજ નિસારભાઈ શેખ, અહમેદાબાદ કે હાજી અસરર બેગ મીરજા, રફીક ગદ્દી, તેમજ ભુજથી આવેલા ઇબ્રાહિમ ભાઈ તુર્ક કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું. પરેરા સાહેબ, જેવા મહાનુભાવો એ હાજરી આપી અને પોતાના વકતાવ્યો પણ આપ્યા.

આ સમ્મેલનમાં એવો પ્રસ્તાવ કરવામાં આવ્યો કે જો ગુજરાત સરકાર આ માંગોને પૂરી નહીં કરે તો ગુજરાતમાં લઘુમતિ સમુદાયના વિકાસ અને રક્ષણ માટે ગુજરાત વિધાનસભા સત્ર પહેલા સર્વદલીય બેઠક યોજવામાં આવશે.

Get real time updates directly on you device, subscribe now.