કાલે ગુજરાતના મુખ્‍યમંત્રી વિજય રૂપાણી કચ્‍છની મુલાકાતે

403

ભુજ, રવિવાર : રાજયના નવનિયુકત મુખ્‍યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ તા.૧/૧/૨૦૧૮નાં કચ્‍છની મુલાકાતે આવી રહયા છે. આવતીકાલ તા.૧લી જાન્‍યુઆરીએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી માંડવી તાલુકાના પિયાવા મધ્‍યે સ્‍વામિનારાયણ કન્‍યા વિધામંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં સવારે ૧૦.૩૦ કલાકે ઉપસ્‍થિત રહેશે. બાદમાં એજ દિવસે બપોરે ૧૨.૪૦ કલાકે લોહાણા બોર્ડિગ ગ્રાઉન્‍ડ, લાયજા રોડ માંડવી ખાતે અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી ૧૩.૪૦ કલાકે માંડવીથી ગાંધીનગર જવા પ્રસ્‍થાન કરશે.