મુન્દ્રા તાલુકાના બેરાજામા એરફોર્સનો જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ

2,448

ભુજ: આજે જામનગરથી ઉડાન ભરીને કચ્છ તરફ આવી રહેલ વાયુસેનાનું જગુઆર ફાઇટર વિમાન દૂર્ધટનાગ્રસ્ત થયું હતું. મુંદ્રાના બેરાજા ગામના સીમમાં વિમાન તૂટી પડતાં પાંચ ગાયોના મોત નિપજ્યા હતા. જોકે, સદ નસીબે વિમાનના પાઇલટનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં એરફોર્સના અધિકારીઓ દોડી ગયા બેરજાની સીમમાં એરફોર્સનું વિમાન તૂટી પડ્યાની ઘટનાની જાણ થતાં જામનગર એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. વિમાન દૂર્ઘટના ગ્રસ્ત થયું ત્યારે સીમમાં ગાયો ચરી રહી હતી તેવી વિગત જાણવા મળી રહી છે.

Get real time updates directly on you device, subscribe now.