સજીવ ખેતી પર બનેલી ફિલ્મ “જાગ્યા ત્યારથી સવાર” ભારતના કૃષિ રાજયમંત્રીએ જોઇને શું પ્રતિભાવ આપ્યો ? જાણો

573

માધાપરના શ્રીરામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સજીવ ખેતી પર બનેલી ભારતની પ્રથમ ગુજરાતી ફિલ્મ ’જાગ્યા ત્યારથી સવાર’ ભારત સરકારના કૃષિ રાજયમંત્રી શ્રી પરસોતમભાઇ રુપાલાએ ૩ ઓકટોબરના ગાંધીનગર ખાતે નિહાળી હતી. તેમણે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, ખેતી વિષય પર સાચું શિક્ષણ મનોરંજનના માધ્યમથી આપતી આ ફિલ્મ જોઇ ખૂબ આનંદ થયો છે. તેમણે આ ફિલ્મ દરેક કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા દરેક ખેડૂતોને બતાવાય તે જરુરી છે. આ ફિલ્મ વધુ ને વધુ લોકો જોવે તેવી અપીલ પણ કરી હતી. ખાસ કરીને ખેડૂતો આ ફિલ્મ સહપરિવાર જોશે તો તેને મનોરંજનની સાથે સાચું માર્ગદર્શન મળશે. કારણકે આ ફિલ્મમાં કમ્પોસ્ટ ખાતર, જીવામૃત, નીમાસ્ત્ર, છાસામૃત, ટપક સિંચાઇ વગેરે જેવા અનેક મુદાઓ પ્રેકટીકલી બતાવાયા છે તેવું રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.