‘પદ્માવત’ ફિલ્મના વિરોધમાં કચ્છમાં કરણી સેનાએ કર્યો ચક્કાજામ

1,020

ભુજ : ફિલ્મ પદ્માવતી નામ બદલી પદ્માવત કરી સેન્સર બોર્ડે રિલીઝ કરવાની મંજુરી આપ્યા પછી ગુજરાત સહિત ચાર રાજ્યોએ પ્રતિબંધ લગાવ્યો જો કે આ પ્રતિબંધ લાંબો સમય ચાલ્યો નહી સુપ્રીમ કોર્ટે રિલીઝ કરવાનો આદેશ આપી દિધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ ફિલ્મના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જેની અસર કચ્છમાં પણ દેખાણી છે. ભુજ તાલુકાના સામત્રા ગામ પાસે કરણી સેના દ્વારા ટાયરો સળગાવી રસ્તા પર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

Get real time updates directly on you device, subscribe now.