નિમાબેનને મારામારી નહીં પણ આચારસંહિતા ભંગના કેસમાં સજા
![](https://www.voiceofkutch.com/wp-content/uploads/2018/02/nimaben-acharya-750x422.jpg)
ભુજ : ભુજના ધારાસભ્યને મારમારી નહી પણ આચારસંહિતા ભંગ કરવાના કેસમાં મોરબી કોર્ટે સજા ફટકારી છે. 18 માર્ચ 2009 ના મોરબી ભક્તિ નગર સર્કલ પાસે યોજાયેલ ભાજપની સભામાં મતદારોને લલચાવવા તેમજ વધારે મતદાન કરાવવા નિમાબેને બુથદીઠ રૂપિયા આપવાની જાહેરાત કરેલ જે બાબતે તત્કાલીન મદદનીશ ચુંટણી અધિકારીએ નિમાબેન સહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ જે કેસમાં આજે મોરબી કોર્ટે સજા સંભળાવી હતી.